- ગુવાહાટી ખાતેના એક કાર્યક્રમમાં તેઓએ રાષ્ટ્રીય અખંડતા અને રાષ્ટ્રીય યોગદાન માટે આસામ સરકાર દ્વારા અપાતા આ પુરસ્કાર પ્રદાન કર્યા હતા.
- આ પુરસ્કાર આસામ ભાષાના સાહિત્યકાર નિરોધ કુમાર બરુઆ અને શિલોંગ ગાયક મંડળીને અપાયો છે.
- આ પુરસ્કારમાં પાંચ લાખ રોકડ, પ્રશસ્તિ પત્ર અને શાલ આપવામાં આવે છે.
- ગોપીનાથ બોરદોલોઇ આસામના પ્રથમ મુખ્યમંત્રી હતા જેઓને વર્ષ 1999માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ભારત રત્ન' એનાયત કરાયો હતો.