- બ્રિટિશ સમયના નિયમ મુજબ હાલ ભારતમાં સૂર્યાસ્ત બાદ પોસ્ટમોર્ટમ કરવાની છૂટ ન હતી જેને કેન્દ્ર સરકાર દ્વારા શરતી છૂટ આપવામાં આવી છે.
- આ છૂટમાં હત્યા, આત્મહત્યા, બળાત્કાર બાદ મૃત્યું, ક્ષત-વિક્ષત મૃતદેહ અને શકમંદ મૃત્યુંના કિસ્સાઓમાં થયેલ મૃતદેહના પોસ્ટમોર્ટમનો સમાવેશ કરાયો નથી.
- આ છૂટ આપવાનો મુખ્ય હેતું અંગદાનને પ્રોત્સાહન આપવાનો જણાવાયો છે.
- આ છૂટ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના Directorate General of Health Services (DGHS) ની ટેક્નિકલ સમિતિની ચકાસણી બાદ આપવામાં આવી છે.