- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 12મી નવેમ્બરે બનાસકાંઠાના પાલનપુરથી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણાથી આ નવી "નિરામય ગુજરાત યોજના"નો શુભારંભ કરાવશે.
- આ યોજનાનો મુખ્ય હેતુ હાઈ-B.P.(લોહીનું ઉંચુ દબાણ), હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટીસ જેવા બિનચેપી રોગોની યોગ્ય તપાસ અને સારવાર છે.
- આ રોગના દર્દીઓની હેલ્થ આઈડીથી નોંધણી કરાશે. જેના કારણે સારવાર સમય કોઈપણ તબીબને માહિતી મળી શકશે.
- કાર્ડ ઈસ્યુ કરવા માટે આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં કિઓસ્ક મૂકાશે.
- વર્ષમાં બે વાર દરેક ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ "નિરામય" કેમ્પનું આયોજન કરાશે.
- દર્દીની તપાસ બાદ જો જરૂર જણાશે તો વધુ તપાસ માટે તજજ્ઞ તબીબ પાસે રિફર કરી શકાશે.
- દરેક દર્દીની સારવાર બાદ દર છ મહિને એક વાર તેનો ફોલોઅપ લેવાશે.
- રાજ્યની 600થી વધુ ખાનગી અને 1600થી વધુ સરકારી હોસ્પિટલોમાં દર્દીના વિનામૂલ્યે સારવાર શક્ય બનશે.