- આ કરાર હેઠળ એકે-203 કાલાશ્રિકોવ રાઇફલ ભારતમાં જ ઉત્તર પ્રદેશના અમેઠીમાં બનાવાશે.
- ભારતીય દળોમાં હાલ વપરાતી ઇનસાસ રાઇફલ્સના સ્થાન પર આ રાઇફલ્સનો ઉપયોગ કરવામાં આવનાર છે.
- આ કરાર હેઠળ રશિયા અને ભારત વચ્ચે આ પ્રકારની 6 લાખ રાઇફલ્સ બનાવવામાં આવશે.
- હાલ ભારતીય સેનાની રાષ્ટ્રીય રાઇફલ યુનિટ્સ અને ઇન્ફ્રન્ટ્રી રેજિમેન્ટ્સ કાલાશ્રિકોવ રાઇફલ્સનો સૌથી વધુ ઉપયોગ કરી રહી છે.