- આ મહોત્સવમાં ગાયક કવિતા કૃષ્ણમર્તિ અને વિરાજ અમર ભટ્ટને "તાનારીરી સંગીત સન્માન" પુરસ્કાર આપવામાં આવશે.
- તાનારીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે.
- તાના અને રીરી બંને બહેનો મલ્હાર રાગમાં પારંગત હતી તેમના માનમાં દર વર્ષે વડનગર ખાતે તાના રીરી મહોત્સવ ઉજવવામાં આવે છે.
- વર્ષ 2010થી "તાના રીરી સંગીત સન્માન" એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
- આ એવોર્ડમાં સંયુકત રીતે અઢી – અઢી લાખ એમ પાંચ લાખ રૂપિયા રોકડ રકમ, તામ્રપત્ર અને શાલ એનાયત કરવામાં આવે છે.