- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના ગુલબાઇ ટેકરાથી પોલિટેકનિક તરફ જતા રસ્તાને હાસ્ય લેખક અને નાટ્ય લેખક તારક મહેતા માર્ગ નામ અપાયું છે.
- તારક મહેતા પ્રસિદ્ધ હાસ્ય લેખક છે જેઓની કોલમ 'દુનિયાને ઊંધા ચશ્મા' પરથી પ્રસિદ્ધ ટેલિવિઝન સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' બની છે.
- આ સિરિયલને ભારતની સૌથી લાંબી ટેલિવિઝન સિરિયલ તરીકે ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
- આ સિરિયલ જુલાઇ, 2008માં શરુ થઇ હતી તેમજ અત્યાર સુધીમાં તેના 3300થી પણ વધુ એપિસોડ પ્રસિદ્ધ થઇ ચૂક્યા છે.