કથ્થક સમ્રાટ પંડિત બિરજૂ મહારાજનું 84 વર્ષની વયે નિધન.

  • ભારતની પારંપરિક નૃત્ય શૈલી કથકને વિશ્વ સ્તર પર લઇ જનાર પ્રસિદ્ધ નૃત્યકાર, સંગીતકાર, ગાયક પંડિત બિરજૂ મહારાજનું નિધન થયું છે. 
  • તેઓ લખનઉથી કાલકા-બિંદાદિન ઘરાનાના હતા. 
  • નૃત્ય સિવાય ફિલ્મોના ગીતો માટે કોરિયોગ્રાફી તેમજ પોતાનો કંઠ પણ આપ્યો છે. 
  • સત્યજીત રે ની ફિલ્મ શતરંજ કે ખિલાડીનું ગીત 'કાન્હા મેં તોસે હારી' તેમજ દેવદાસ ફિલ્મનું 'કાહે છેડ છેડ મોહે' માં પોતાનો અવાજ પણ આપ્યો હતો. 
  • વર્ષ 1964માં તેઓને સંગીત નાટક અકાદમી પુરસ્કાર, 1986માં પદ્મ વિભૂષણ, 1987માં કાલીદાસ સન્માન, 2002માં લતા મંગેશકર પુરસ્કાર અપાયો હતો. 
  • આ સિવાય સંગમ કલા પુરસ્કાર, ભારત મૂનિ સમ્માન, આંધ્ર રત્ન, નૃત્ય વિલાસ પુરસ્કાર, સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડ, રાષ્ટ્રીય નૃત્ય શિરોમણી પુરસ્કાર તેમજ રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદ્‌ભાવના પુરસ્કાર પણ એનાયત કરાયા હતા. 
  • વર્ષ 2012માં વિશ્વરુપમ ફિલ્મના ગીત 'Unnai Kaanaathu / મેં રાધા તેરી, મેરા શ્યામ તું' ની બેસ્ટ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય પુરસ્કાર તેમજ વર્ષ 2016માં બાજીરાવ મસ્તાની ફિલ્મના ગીત મોહે રંગ દો લાલની બેસ્ટ કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર પુરસ્કાર અપાયો હતો.
Birju Maharaj

Post a Comment

Previous Post Next Post