- હિટ એન્ડ રન કેસમાં મૃત્યું પામેલ વ્યક્તિના પરિવારને અત્યાર સુધી 50,000 રુપિયાનું વળતર મળતું હતું.
- આ વળતરની રકમ વધારીને રુ. 2 લાખ કરવામાં આવી છે.
- આ માટે કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇ-વે મંત્રાલય દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
- આ સિવાય ઘાયલ થયેલ વ્યક્તિઓને આપવામાં આવતા વળતરની રકમ રુ. 12,500 થી વધારીને રુ. 50,000 કરવામાં આવી છે.
- કેન્દ્ર સરકારનો આ નવો નિયમ 1 એપ્રિલ, 2022થી લાગૂ થશે.
- આ માટે કેન્દ્ર ટૂંક સમયમાં મોટર વ્હિકલ એક્સીડેન્ટ ફંડની રચના કરશે જેમાંથી પીડિતોને ઝડપથી વળતર ચૂકવી શકાય.