- રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલ હુમલા બાદ અનેક દેશોના નાગરિકો ત્યા ફસાયેલા છે.
- ભારતના પણ લગભગ 20,000 થી વધુ લોકો ત્યા છે જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે.
- યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને દેશમાં પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 'ઓપરેશન ગંગા'ની શરુઆત કરવામાં આવી છે.
- આ ઓપરેશન હેઠળ ભારતીયોને યુક્રેનના પાડોશી દેશોમાં થઇને વિમાનો દ્વારા દેશમાં પરત લવાશે.
- આ ઓપરેશન હેઠળ યુક્રેનમાં ફસાયેલા લોકોને ઉજહોરોડ, સ્લોવાકિયાની સીમા પાસેથી હંગેરી અને રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ પાસે પહોંચવા માટે જણાવાયું હતું જ્યાથી તેઓને એરલિફ્ટ કરી શકાય.
- અગાઉ અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબજો કરાયો હતો ત્યારે ભારત સરકારે પોતાના નાગરિકોને પરત લાવવા માટે 'ઓપરેશન દેવી શક્તિ' શરુ કર્યું હતું.