- કાયદા મંત્રાલયના ન્યાય વિભાગ દ્વારા પ્રસિદ્ધ માહિતી મુજબ કેન્દ્રીય કાયદા સચિવ અનુપકુમાર મેન્દીરત્તાને દિલ્હી હાઇકોર્ટના જજ તરીકે બઢતી અપાઇ છે.
- તેઓ વર્ષ 2019માં કાયદા સચિવ તરીકે નિયુક્ત થયા હતા.
- આ પહેલા તેઓ દિલ્હીમાં જ ન્યાયિક અધિકારી પણ હતા.
- ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં તેઓને જિલ્લા ન્યાયાધીશમાંથી સીધા કાયદા મંત્રાલયમાં સચિવ બનાવાયા હતા તે પણ દેશમાં પ્રથમવાર બન્યું હતું.