ORF ફાઉન્ડેશન દ્વારા Jailed for doing business નામનો રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો.

  • Observer Research Foundation (ORF) દ્વારા Jailed for doing business: 26134 Impressment Clause in India's Business Laws નામની એક પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી છે. 
  • આ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં 26,000થી વધુ એવા કાયદા છે જેમાં વેપારીઓને જેલની સજા થઇ શકે છે! 
  • આ કાયદાઓમાં સૌથી વધુ 1,469 કાયદા ગુજરાતમાં છે. 
  • ત્યારબાદ પંજાબમાં 1,273, મહારાષ્ટ્રમાં 1,210, કર્ણાટકમાં 1,174 અને તમિલનાડુમાં 1,043 કાયદાઓ છે જેના દ્વારા વેપારીઓને જેલ થઇ શકે છે. 
  • આ રિપોર્ટ મુજબ આ તમામ કાયદાઓ એકદમ સરળ નથી જેને લીધે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે. 
  • આ રિપોર્ટમાં તમામ કાયદાઓને સાત કેટેગરી લેબર, ફાઇનાન્સ અને ટેક્સેશન, પર્યાવરણ, આરોગ્ય અને સુરક્ષા, સેક્રેટરિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીમાં વહેંચવામાં આવ્યા છે. 
  • આ પુસ્તકમાં આપેલ ઉદાહરણ આપેલ છે જેમાં કહેવાયું છે કે દેશમાં રાજદ્રોહના ગુનામાં એકથી ત્રણ વર્ષની જેલ સજા છે તેવી જ રીતે ચાર મહિનામાં એક વખત શૌચાલય સાફ કરો તો પણ એટલી જ સજાની જોગવાઇ છે! 
  • ગુજરાતમાં જેલની જોગવાઇ ધરાવતા ચાર મુખ્ય કાયદાઓ છે જેમાં Building and other Construction Workers Act, 1996, Contract Labor Act, 1970 અને Gujarat Electricity Industry Act, 2003 નો સમાવેશ થાય છે.
ORF Jailed for doing business

Post a Comment

Previous Post Next Post