- અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરાયું છે.
- આ થેરાપી દ્વારા બાળકોમાં જન્મજાત બહેરાશ, સાંભળવાથી સંબંધિત કોઇ તકલીફ, ચેતા તંત્રના રોગના લીધે બોલવાની તકલીફ, સમજવાની અને ભૂલવાની તકલીફ, પક્ષઘાત / પેરાલિસીસ અને સેરેબ્રલ સ્ટ્રોકથી પીડિત દર્દીઓના પુનર્વસન તેમજ કમ્પ્યુટરાઇઝ્ડ સોફ્ટવેર દ્વારા નિદાન સચોટ અને સરળ બનશે.
- આ પ્રકારની પેથોલોજી કોલેજ ધરાવતું ગુજરાત પાંચમું રાજ્ય છે.
