- Inter-governmental Panel on Climate Change (IPCC) દ્વારા પોતાના છઠ્ઠા એસેસમેન્ટ રિપોર્ટનો બીજો ભાગ પ્રસિદ્ધ કરાયો છે.
- આ રિપોર્ટમાં ભારતના સમુદ્ર કિનારે વસતા 35 કરોડ લોકો પર ક્લાઇમેટ ચેન્જનો ખતરો દર્શાવાયો છે.
- આ રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત આ પ્રદૂષણને નિયંત્રિત નહી કરાય તો ભારત માટે ગંભીર પરિણામો આવશે.
- આ પેનલ દ્વારા પ્રથમવાર પ્રાદેશિક એસેસમેન્ટ કરાયું છે તેમજ મેગા સિટી પર પણ ફોકસ કરવામાં આવ્યું છે.
- આ રિપોર્ટમાં ભારતના દરિયાકિનારે વસેલા શહેરો પર ગંભીર પૂરનો ભય દર્શાવાયો છે.
- આ સિવાય અમદાવાદ અર્બન હીટ આઇલેન્ડનો ગંભીર કેસ તેમજ ચેન્નાઇ, ભૂવનેશ્વર, પટણા અને લખનઉ જેવા શહેરોમાં ગરમી તેમજ ભેજ ગંભીર સ્તર સુધી વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.