નવી દિલ્હી ખાતે આવેલ નહેરું મ્યુઝિયમને હવેથી પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે.

  • નવી દિલ્હી ખાતે આવેલ 'તીન મૂર્તિ ભવન' પર બનેલ આ સંગ્રહાલયનું નામ બદલીને 'પીએમ મ્યુઝિયમ' કરવાનો નિર્ણય લેવાયો છે. 
  • આ મ્યુઝિયમ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુંની યાદમાં બનાવાયું હતું. 
  • આ મ્યુઝિયમની સ્થાપના ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાયલ હેઠળ આવેલ એક સંસ્થા દ્વારા કરાયું હતું જે ભારતના પ્રથમ વડાપ્રધાનના આધિકારિક આવાસ, તીન મૂર્તિ ભવન ખાતે બનેલ છે. 
  • અત્યાર સુધી આ મ્યુઝિયમમાં ફક્ત જવાહરલાલ નહેરુંની યાદોને રાખવામાં આવી હતી જેમાં હવે દેશના 14 વડાપ્રધાનની યાદોને રાખવામાં આવશે. 
  • આ મ્યુઝિયમનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન મોદી દ્વારા 14 એપ્રિલ (ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસ) ના રોજ કરવામાં આવશે.
Nehru Museum

Post a Comment

Previous Post Next Post