- પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને પૂર્વ ધારાસભ્યોને ફક્ત એક જ કાર્યકાળ માટે પેન્શન આપવાની જાહેરાત કરી છે.
- આ નિર્ણય બાદ પંજાબમાં એક થી વધુ વાર ધારાસભ્ય તરીકે ચુંટાયા હોય તેવા ધારાસભ્યોને ફક્ત એક જ કાર્યકાળ માટેનું પેન્શન મળશે.
- હાલના નિયમ મુજબ ધારાસભ્યને એક કાર્યકાળ માટે રુ. 75,000 પેન્શન મળે છે તેમજ ત્યાર પછીના દરેક કાર્યકાળ માટે વધારાની 66% રકમ પેન્શન તરીકે અપાય છે.
- ઉલ્લેખનીય છે કે શિરોમણી અકાલી દળના નેતા પ્રકાશસિંહ બાદલે થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે તેઓ પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન નહી લે (તેઓ 11 વાર ધારાસભ્ય તરીકે ચુંટાયા છે).
