- માલદીવ સરકાર દ્વારા ભારતના પૂર્વ ક્રિકેટ ખેલાડી સુરેશ રૈનાને વર્ષ 2022 માટે આ પુરસ્કાર અપાયો છે.
- તેઓએ પોતાના કેરિયરમાં મેળવેલ વિભિન્ન ઉપલબ્ધિઓ માટે આ પુરસ્કાર અપાયો છે.
- સુરેશ રૈના વર્ષ 2011નો વર્લ્ડ કપ રમ્યા હતા તેમજ ચેન્નાઇ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝી સાથે ચાર વાર IPL ટ્રોફી જીતી ચુક્યા છે.
- તેઓ ટી20 કેરિયરમાં 6000 અને 8000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી અને આઇપીએલમાં 5000 રન સુધી પહોંચનાર પ્રથમ ખેલાડી પણ છે.
- તેઓના નામ પર ચેમ્પિયન્સ લીગ ટી20 ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી લગાવવાનો પણ રેકોર્ડ છે.