- ગુજરાતના જામનગરમાં World Health Organization (WHO) નું ટ્રેડિશનલ મેડિસિન માટેનું વિશ્વનું પ્રથમ ગ્લોબલ સેન્ટર સ્થાપવામાં આવશે.
- આ માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
- આ સેન્ટર સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટેનું પ્રથમ અને એકમાત્ર સેન્ટર બનશે.
- આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ આપશે.
- આ સિવાય પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારતાની ખાતરી કરવામાં પણ ઉપયોગી થશે.
- નવેમ્બર, 2020માં વડાપ્રધાન મોદીએ જામનગરમાં Institute of Teaching and Research in Ayurveda (ITRA) ને Institute of Natural Importance ગણાવ્યું હતું.