- આ પાસાઓની સંખ્યા 64 છે જે લગભગ ચોથી કે પાંચમી સદીના હોવાનું મનાય છે.
- વિશેષજ્ઞો મુજબ આ પાસાઓનો ઉપયોગ ધાર્મિક અનુષ્ઠાન અને મનોરંજન માટે થતો હશે.
- આજે પણ વડનગરનમાં રાધાકૃષ્ણના મંદિરમાં ભગવાન સમક્ષ પાસા મુકવાની ધાર્મિક પ્રથા અસ્તિત્વમાંં છે.
- ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વડનગરમાંથી કેપ્સ્યુલ આકારનું સ્ટ્રક્ચર, દાયકાઓ જૂના બુર્જ સહિત અનેક ઐતિહાસિક ચીજવસ્તુઓ મળી આવી છે.