- તેઓ રાજસ્થાનમાં થયેલ ગુર્જર અનામત આંદોલનના નેતા હતા.
- તેઓ ભારતીય સેનામાં કર્નલ તરીકે પણ રહી ચૂક્યા હતા.
- આ આંદોલનમાં અત્યાર સુધીમાં 70થી વધુ લોકોના મૃત્યું થઇ ચુક્યા છે.
- છેલ્લે ફેબ્રુઆરી 2019માં રાજસ્થાનમાં ગુર્જરોને 5% અનામત અપાયું હતું.
- સરકારની વણઝારા, લબાના, લોહર, ગુર્જર, રાઇકા, ગાડરી વગેરે જાતિઓ માટેની 'દેવ નારાયણ યોજના' શરુ કરાવવામાં પણ કિરોડીસિંહનો સિંહ ફાળો રહ્યો છે.
- આ યોજના માટે સરકાર દ્વારા 1,500 કરોડનું બજેટ ફાળવાયું છે.
- 2019માં ગુર્જરોને અનામત અપાયા બાદ એપ્રિલ, 2019માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.