- અલાહાબાદ હાઇકોર્ટ દ્વારા એક કેસની સુનવણી દરમિયાન જણાવાયું કે મસ્જિદોમાં લાઉડ સ્પીકર પર અજાન પઢવી તે મૌલિક અધિકાર નથી.
- આ ચુકાદો કોર્ટે એક અરજીની સુનવણી દરમિયાન આપ્યો હતો જેમાં અજાનને ઇસ્લામનો અભિન્ન અંગ જણાવાયું છે પરંતુ તેને લાઉડ સ્પીકર પર પઢવાને અધિકાર હોવાથી ઇનકાર કરાયો છે.
- ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં હનુમાન જયંતિ દરમિયાન લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવા બાબતથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને અનેક રાજ્યોએ પોતાના રાજ્યમાં મંદિર અને મસ્જિદો સહિતના ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકર હટાવ્યા છે.