- આ માટે ભારતે નામીબિયા સાથે કરાર કર્યા છે જેના હેઠળ આવતા મહિને નામીબિયા ખાતેથી ભારતમાં કુલ 8 ચિત્તાઓ લાવવામાં આવશે.
- આ આઠ ચિત્તાઓમાં 4 નર તેમજ 4 માદા ચિત્તા હશે જેને મધ્ય પ્રદેશના કુનો પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે રખાશે.
- ભારતમાં 1948માં છત્તીસગઢના કોરયા જિલ્લામાં ચાર ચિત્તાઓને મારી નખાયા હતા જેના બાદ 1952માં ભારતમાંથી તમામ ચિત્તાઓ નામશેષ થયા હોવાનું જાહેર કરાયું હતું.
- અગાઉ વર્ષ 2012માં આફ્રિકા ખાતેથી ચિત્તાઓ લાવવાની યોજના બનાવાઇ હતી જેને સુપ્રીમ કોર્ટ દ્વારા રોકવામાં આવી હતી જેને વર્ષ 2020માં સુપ્રીમ કોર્ટે હટાવી છે.