- આ ફેરફારો બાદ હવેથી રાષ્ટ્ર ધ્વજ દિવસ-રાત ફરકાવી શકાશે.
- આ સિવાય નાગરિકો પોતાના ઘર પર પણ રાષ્ટ્રધ્વજ લહેરાવી શકશે.
- મશીન અને પોલિએસ્ટરથી બનેલા ધ્વજને પણ ફરકાવી શકાશે.
- ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 13 થી 15 ઑગષ્ટ સુધી 'હર ઘર તિરંગા' અભિયાન પણ શરુ થઇ રહ્યું છે ત્યારે રાષ્ટ્રધ્વજ સંહિતામાં આ ફેરફાર કરવામાં આવ્યા છે જેથી લોકો પોતાના ઘર પર તિરંગો લહેરાવી શકે.
- અગાઉ તિરંગો ફક્ત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ લહેરાવી શકાતો હતો તેમજ મશીનથી બનેલ અથવા પોલિએસ્ટરના ધ્વજને લહેરાવવાની જ પરવાનગી હતી જેને બદલે હવેથી હાથથી કાંતેલો, વણેલો અથવા મશીનથી બનેલો ધ્વજ લહેરાવી શકાશે.