- આ પોઈન્ટસ દુર્ગાપુર અને બર્ધમાન ખાતે શરૂ કરવામાં આવ્યા છે.
- તેનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા રાજીવ ચંદ્રશેખરે કર્યું.
- આ ઈન્ટરનેટ એક્સચેન્જની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા વિઝનના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના (MeitY) વિઝન 1000 દિવસ હેઠળની કવાયત છે.
- જેનો ઉદ્દેશ્ય દરેક ભારતીયને ખુલ્લા, સલામત અને વિશ્વસનીય અને જવાબદાર ઈન્ટરનેટ સાથે જોડવાનો છે.
- નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 2015 માં 'ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ' શરૂ કરવામા આવેલ.