- આ સંધિ બ્લેક સી સ્થિત બંદરો પર અનાજની નિકાસ ફરી શરુ કરવા માટે કરવામાં આવી છે.
- આ સંધિ બાદ રશિયા અને યૂક્રેન યુદ્ધને લીધે શરુ થયેલ વૈશ્વિક સંકટ હળવું બનશે તેવી શક્યતા છે.
- આ સંધિ બાદ યૂક્રેનની અનાજ નિકાસ ફરી શરુ થશે તેમજ પશ્ચિમી દેશોના પ્રતિબંધ બાદ બંધ પડેલ રશિયન અનાજ અને ખાતરની નિકાસ પણ ફરીથી શરુ થશે.
- ઉલ્લેખનીય છે કે રશિયાએ નોર્ડ સ્ટ્રીમ વન ખાતેથી જર્મની માટેની સૌથી મોટી ગેસ પાઇપલાઇન પણ ફરી શરુ કરી છે.