- યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સ્કીએ ભારત સહિત પાંચ દેશોમાં પોતાના રાજદૂતોને બરખાસ્ત કર્યા છે જેમાં ભારત સિવાય હંગેરી, ચેક રિપબ્લિક, નોર્વે અને જર્મનીનો સમાવેશ થાય છે.
- આ નિર્ણય લેવા પાછળનું કારણ યુક્રેને જણાવ્યું નથી પણ લગભગ આ બધા દેશોએ યુક્રેનને રશિયા સાથે થયેલ યુદ્ધમાં સીધી મદદ કરી નથી તે કારણ માનવામાં આવી રહ્યું છે.
- તાજેતરમાં જ યુક્રેને ડોનબાસમાં પણ પીછેહઠ કરવી પડી છે જેને લીધે રશિયાએ તેના પર કબ્જો જમાવી દીધો છે.