- આ મંજૂરી કેન્દ્રીય કેબિનેટ દ્વારા અપાઇ છે જેને લીધે ખેડૂતોને 3 લાખની લોન પર 1.5% જેટલી વ્યાજમાફી મળશે.
- આ નિર્ણય લેવાનો ઉદેશ્ય એગ્રિકલ્ચર ક્ષેત્રમાં ક્રેડિત ફ્લોને સુનિશ્ચિત કરવાનો છે.
- આ નિર્ણયની સાથોસાથ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી સ્કીમની મર્યાદામાં પણ 50,000 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
- કેન્દ્ર સરકારની સબવેન્શન સ્કીમ દ્વારા સરકાર સહકારી સમિતિઓ અને બેન્કો મારફત ખેડૂતોને ઓછા વ્યાજ દર પર ટૂંકા અને લાંબા ગાળા માટે લોન અપાવે છે જેને ઘણા ખેડૂતો સમયસર ચૂકવી દે છે જ્યારે ઘણા ખેડૂતો ચૂકવી શકતા નથી અને તેવા ખેડૂતો પોતાની લોન સમયસર ચૂકવી શકે તે માટે 'Modified Interest Subvention Scheme (MISS)' નો ફાયદો મળે છે.
