- કૌટુંબિક વિવાદોના નિવારણ કોર્ટની બહાર તથા સામાજીક, ધાર્મિક અને સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓની દરમિયાનગીરીથી સમાધાન થાય તેવા શુભ આશયથી આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
- આ નવતર અભિગમ અંતર્ગત કૌટુંબિક વિવાદોના નિવારણ અને સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના અમલી બનાવવામાં આવી છે.
- આ યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કલેકટર અને તાલુકા ક્ક્ષાએ મામલતદારની અધ્યક્ષતા માં સાત સભ્યોની સમિતિનું ગઠન કરાશે.
- સમિતિમાં સભ્ય તરીકે સ્થાનિક કક્ષાના સામાજીક દૃષ્ટિએ પ્રતિષ્ઠિત અને વર્ચસ્વ ધરાવતા આગેવાનોને સ્થાન મળશે.
- આ ઉપરાંત કમિટીમાં બે વકીલ અને 2 આમંત્રિત સભ્ય અને એક મહિલા સદસ્ય ફરજિયાત રહેશે.
- આ કમિટી બનાવવા માટે 2 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
- આ યોજના હેઠળ કૌટુંબિક વિવાદોના જે કેસો નોંધાય તે તમામ કેસોના પક્ષકારોને સાંભળીને સ્થાનિક કક્ષાએ સમજાવટથી વિવાદોનો વધુમાં વધુ નિકાલ થાય તે મુજબની કામગીરી કરવામાં આવશે.