- આ દિવસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2008થી મનાવાય છે જેનો ઉદેશ્ય વિશ્વભરમાં માનવીય સહાયતાની જરુરિયાત બાબતમાં લોકોને જાગૃત કરવાનો છે.
- 19 ઑગષ્ટ, 2003ના રોજ ઇરાકના બગદાદમાં એક કેનાલ હોટલ પર બોમ્બ હુમલાને લીધે 22 માનવીય સહાયતા કર્મીઓના મૃત્યું થયા હતા જેમાં ઇરાક માટે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના વિશેષ પ્રતિનિધિ પણ હાજર હતા.
- આ ઘટનાના પાંચ વર્ષ બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને વિશ્વ માનવતાવાદી દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો હતો.
