બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન.

  • રાણી એલિઝાબેથ બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાણી બન્યા.એલિઝાબેથ 2015 માં યુકેની સૌથી લાંબી સેવા કરનાર રાજા બની હતી, 
  • તેઓએ રાણી વિક્ટોરિયાના વર્ષ 1837 થી 1901 સુધીના શાસનકાળનો રેકોર્ડ તોડયો હતો.
  • તેઓએ 1952માં બ્રિટનનું રાજકીય નેતૃત્વ હાથમાં લીધું હતું.
  • તેઓ 2015 માં યુકેના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર રાજા બન્યા હતા.  
  • તેઓ 70 વર્ષ સુધી શાસન કર્યું હતું.
  • તેઓના કાર્યકાળમાં બ્રિટનના 15 વડાપ્રધાન બદલાયા હતા.
  • તાજેતરમાં વડાપ્રધાન તરીકે ચૂંટાયેલ લીઝ ટ્રસ તેઓના કાર્યકાળમાં 15માં વડાપ્રધાન બન્યા.
  • તેઓના પતિ પ્રિન્સ ફિલિપ એપ્રિલ 2021માં 99 વર્ષની વયે અવસાન થયું હતું.
  • બ્રિટનમાં રાજવી મૃત્યુ બાદ ઓપરેશન લંડન બ્રિજ અને ઓપરેશન યુનિકોર્નની ખાસ જોગવાઈઓ છે.
  • રાણી જ્યારે સ્કોટલેન્ડમાં હોય ત્યારે તેમનું મૃત્યુ થાય ત્યારે  "ઓપરેશન યુનિકોર્ન" સક્રિય કરવામાં આવે છે.   
  • યુનિકોર્ન એ સ્કોટલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી છે અને તે ઈંગ્લેન્ડના સિંહની સાથે શાહી કોટ ઓફ આર્મ્સનો ભાગ છે.
  • "ઓપરેશન યુનિકોર્ન"આ શબ્દનો ઉપયોગ સૌપ્રથમવાર એડિનબર્ગ સંસદના ઓનલાઈન પેપર્સમાં 2017માં સ્કોટલેન્ડમાં રાજાનું મૃત્યુ થયું હોય તેવી ઘટના માટે કરવામાં આવ્યો હતો.
  • જો કોઈ રાજવી સ્કોટલેન્ડમાં મૃત્યુ પામે છે ત્યારે સંસદ, હોલીરૂડહાઉસનો પડોશી પેલેસ અને સેન્ટ ગાઇલ્સ કેથેડ્રલ મુખ્ય કેન્દ્રબિંદુ રાખવામાં આવે છે.
  • સ્કોટલેન્ડમાં રાજવીના મૃત્યુ બાદ હજારો લોકો ત્યાં આવી શકે છે.  
  • રાણી એલિઝાબેથ દ્વિતીયનું સ્કોટલેન્ડમાં અવસાન થયેલ છે આથી તેમના મૃતદેહને હોલીરૂડહાઉસમાં આરામ કરવામાં આવશે અને પછી તેએમની શબપેટીને રોયલ માઇલ (એડિનબર્ગમાં) પરના કેથેડ્રલમાં લઈ જવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને "ઓપરેશન યુનિકોર્ન" કહેવાય છે.
  • આ પછી, તેઓના પાર્થિવ દેહને રોયલ ટ્રેનમાં એડિનબર્ગના વેવરલી સ્ટેશન પર પૂર્વ કિનારાની મુખ્ય લાઇનથી લંડન સુધીની મુસાફરી માટે મૂકવામાં આવશે.
  • બ્રિટનમાં રાણીના અવસાન પછી "ઓપરેશન લંડન બ્રિજx સક્રિય કરવામાં આવ્યું હતું.
  • બ્રિટનમાં રાજ્યના વડાના મૃત્યુ બાદ વ્યવહાર કરવાની યોજનાને "ઓપરેશન લંડન બ્રિજ"તરીકે ઓળખવામાં આવે છે.
  • આ ઓપરેશનમાં રાજવીના મૃત્યુ પછીના દિવસને D+1 અને તેના અંતિમ સંસ્કારના દિવસને D+10 તરીકે ગણવામાં આવે છે. 
  • આ સમયગાળા દરમિયાન, બ્રિટિશ સંસદ દ્વારા શોક સંદેશ રજૂ કર્યા પછી આ 10 દિવસ માટે કામકાજ સ્થગિત કરવામાં આવશે.
Queen Elizabeth II Dies at 96

Post a Comment

Previous Post Next Post