- આ એવોર્ડ પ્રો. મેટકાફે ભારત અને પાકિસ્તાનની મુસ્લિમ વસ્તીના ઇતિહાસ પર વિસ્તૃત લખાણ માટે આપવામાં આવ્યો છે.
- 17 ઓકટોબર 1817ના રોજ જન્મેલ સર સૈયદ અહમદ ખાન ઓગણીસમી સદીના બ્રિટિશ ભારતમાં દક્ષિણ એશિયાના મુસ્લિમ સુધારક, તત્વચિંતક અને શિક્ષણશાસ્ત્રી હતા.
- અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) દ્વારા તેના સ્થાપક સર સૈયદ અહમદ ખાનની જન્મજયંતિ પર આ વાર્ષિક પુરસ્કાર આપવામાં આવે છે.
- આ વર્ષે AMU, સર સૈયદની 205મી વર્ષગાંઠ ઉજવી રહી છે.
- આ એવોર્ડ સર સૈયદ સ્ટડીઝ, સાઉથ એશિયન સ્ટડીઝ, મુસ્લિમ ઈસ્યુઝ, લિટરેચર, મધ્યયુગીન ઈતિહાસ, સામાજિક સુધારણા, સાંપ્રદાયિક ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ કામ કરતા જાણીતા વિદ્વાનો અથવા સંસ્થાઓને આપવામાં આવે છે.