- સંયુક્ત રાષ્ટ્ર સંઘના સચિવ એન્ટોનીયા ગુટેરસ ભારતના 2 દિવસના પ્રવાસે છે.
- પ્રધાનમંત્રી કેવડીયા ખાતે 10મી હેડ ઓફ મિશન કોન્ફરન્સમાં ભાગ લેશે.
- પ્રધાનમંત્રી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘના સચિવ એન્ટોનીયા ગુટેરસેની હાજરીમાં પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી 'મિશન લાઈફ' નો પ્રારંભ કરાવવામાં આવ્યો.
- આ ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે એક હજાર 970 કરોડ રૂપિયાના ખર્ચની વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન-શિલાન્યાસ કરવામાં આવ્યું.
- વિદેશ મંત્રાલય દ્વારા કેવડિયા ખાતે ત્રણ દિવસીય 10મી હેડ ઓફ મિશન પરિષદનું આયોજન કરાયું છે.
- આ ત્રણ દિવસીય પરિષદમાં 100થી વધુ ભારતીય મિશનના વડા સહિત વિશ્વભરના રાજદૂતો, ઉચ્ચ કમિશનરો ભાગ લેશે.
- આ પરિષદમાં સમકાલીન ભૌગોલીક – રાજકીય અને ભૌગોલિક-આર્થિક લગતા તથા જોડાણો સંબંધી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
- 'મિશન લાઈફ' એ પર્યાવરણની જાળવણી અને સુરક્ષા માટે ભારતની આગેવાની હેઠળની વૈશ્વિક ચળવળ છે.