- આ યોજના સાથે 600 'PM કિસાન સમૃદ્ધિ કેન્દ્ર' પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા.
- નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનમાં બે દિવસીય 'PM કિસાન સન્માન સંમેલન 2022' બાદ 'પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વારક યોજના-એક રાષ્ટ્ર એક ખાતર યોજના' ની શરૂઆત કરી.
- આ યોજના હેઠળ હવેથી એક સમાન ગુણવત્તાનો યુરિયા એક નામ અને એક બ્રાન્ડ હેઠળ વેચવામાં આવશે.
- જેનો ઉદ્દેશ્ય એક જ બ્રાન્ડ હેઠળ ખેડૂતોને સસ્તું અને સારી ગુણવત્તાવાળું ખાતર આપવાનો છે.