- સયુંકત રાષ્ટ્ર(UN) ના "બહુપરીમાણીય સંકલિત સ્થિરીકરણ મિશન (Multidimensional Integrated Stabilization Mission in Mali - MINUSMA) હેઠળ ભારત તરફથી યુટિલિટી હેલિકોપ્ટર યુનિટને માલી ખાતેના UNના શાંતિ રક્ષા દળોને જરૂરી સહાય પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવશે.
- માલીમાં ચાલી રહેલ સંયુક્ત રાષ્ટ્રનું "બહુપરીમાણીય સંકલિત સ્થિરીકરણ મિશન" માલીમાં સંયુક્ત રાષ્ટ્રનું શાંતિ રક્ષા મિશન છે.
- વર્ષ 2012માં થયેલ તુઆરેગ બળવા પછી દેશને સ્થિર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ઠરાવ 2100 દ્વારા 25 એપ્રિલ 2013 ના રોજ MINUSMA ની સ્થાપના કરવામાં આવી હતી.
- તાજેતરમાં બ્રિટન, જર્મની, ફ્રાન્સ, ઇજિપ્ત સહિત ઘણા દેશો દ્વારા આ મિશનમાંથી તેમના સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાંથી ફ્રાન્સ અને ઇજિપ્તે મિશનમાંથી તેમના સૈનિકોને પાછા ખેંચી લીધા છે.
- હાલમાં માલીમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં કોઈ ભારતીય સૈનિક તૈનાત નથી જેથી ભારત તરફથી આ રક્ષા મિશનમાં સહયોગી બનવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.