- આ સ્ટેશન જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી (JNPA) ખાતે સિવિલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા IIT મદ્રાસના સહયોગથી વિકસાવવામાં આવ્યું.
- આ સાથે 21 નવેમ્બર, 2022 ના રોજ ઇલેક્ટ્રિક સંચાલિત પર્યાવરણ મોનિટરિંગ વ્હીકલ (EV) લોન્ચ કરવામાં આવ્યું હતું.
- સતત દરિયાઈ પાણીની ગુણવત્તા મોનિટરિંગ સ્ટેશન અને ઈ-વાહનોનો મુખ્ય ઉદ્દેશ્ય નવી ટેકનોલોજી દ્વારા સતત ટકાઉ વિકાસ કરવાનો છે.
- આ સ્ટેશનથી દરિયાઈ પાણીની ગુણવત્તા, પાણીનું તાપમાન, pH, ઓગળેલા ઓક્સિજન, એમોનિયા, વાહકતા, નાઈટ્રેટ, ખારાશ, પાણીની ગંદકી, દરિયાઈ પાણીનું TDS(Total Dissolved Solids) વગેરેના ડેટા મેળવવામાં આવશે.
- દરિયાઈ પાણીનો TDS સમુદ્રના પાણીની ગુણવત્તા ડેટાબેઝ પર આધારિત છે.
- ઇ-વ્હીકલ(EV) JNPAમાં હાલના હવા અને અવાજના સ્તર પર પણ નજર રાખશે.