પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'કાશીતમિળ સંગમ મેળા' નો વારાણસીમાં ઉદઘાટન કર્યું.

  • 'કાશીતમિળ સંગમ' એક મહિના સુધી ચાલનાર છે. 
  • આ સંગમનું આયોજન ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે અને "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની ભાવનાને જાળવી રાખવા માટે કરવામાં આવ્યું છે.
  • સંગમ દરમ્યાન તમિલનાડુથી વિવિધ બાર શ્રેણીના પ્રતિનિધિઓ કાશી આવશે અને કાશીમાં આ વિવિધ શ્રેણીના પ્રતિનિધિઓ સાથે વિચાર-વિમર્શ કરશે.
  • આ કાર્યક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને અનુરૂપ ભારતીય જ્ઞાન વારસાને આધુનિક શિક્ષા પ્રણાલી સાથે જોડવાનો પ્રયાસ છે. 
  • ભારત સરકાર સાથે IIT મદ્રાસ અને બનારસ હિન્દુ યુનિવર્સિટી આ કાર્યક્રમ માટે કાર્યરત છે.
Kashi Tamil sangam begins in Varanasi

Post a Comment

Previous Post Next Post