- આ કવાયત દેશના 7,516 કિલોમીટરના દરિયા કિનારા અને ખાસ આર્થિક વિસ્તારો નજીકના જળ વિસ્તારો નજીક 15-16, નવેમ્બરે યોજવામાં આવશે.
- બે દિવસ યોજાનારી આ સંરક્ષણ ક્વાયતમાં ભારતીય નૌકાદળ અને તટરક્ષક દળના જવાનો ભાગ લેશે.
- આ ઉપરાંત દરિયાઈ પ્રવૃત્તિઓનો હવાલો સંભાળતા કેન્દ્રના વિભાગો પણ તેમાં ભાગ લેશે.
- સંરક્ષણ મંત્રાલય દ્વારા મુંબઈ ઉપર થયેલા આતંકવાદી હુમલા બાદ દેશના દરિયાઈ વિસ્તારોની સલામતી સઘન બનાવવા વર્ષ 2018માં આ પ્રકારના ક્વાયતનો આરંભ કરવામાં આવ્યો હતો.
- આ કવાયત મુખ્ય થિયેટર લેવલ રેડીનેસ ઓપરેશનલ એક્સરસાઇઝ (TROPEX) પ્રકારની હોય છે જે ભારતીય નૌકાદળ દર બે વર્ષે આયોજિત કરે છે.