- આ જાહેરાત કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરવામાં આવી છે જેમાં સંગીત, નાટ્ય અને નૃત્ય ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારો માટે પુરસ્કાર જાહેર કરાયા છે.
- આ કલાકારોમાં ગુજરાતના ચાર કલાકારો સહિત કુલ 128 કલાકારોનો સમાવેશ કરાયો છે.
- ગુજરાતના ચાર કલાકારોમાં દર્શનાબેન ઝવેરી, મંજૂબેન મહેતા, શંકરભાઇ ધરજિયા તેમજ મહેશ ચંપકલાલનો સમાવેશ થાય છે.
- આ સિવાય 75 કલાકારોને વન ટાઇમ સંગીત નાટ્ય અકાદમી એવોર્ડની પણ જાહેરાત કરવામાં આવી છે.
- આ પુરસ્કારોને બે કેટેગરીમાં અપાયા છે જેમાં સંગીત નાટ્ય અકાદમી ફેલો એવોર્ડ તેમજ સંગીત નાટ્ય અકાદમી એવોર્ડનો સમાવેશ થાય છે.
- સંગીત નાટ્ય અકાદમી ફેલો એવોર્ડમાં ત્રણ લાખ રુપિયા રોકડ પુરસ્કાર તેમજ સંગીત નાટ્ય અકાદમી એવોર્ડમાં રુપિયા એક લાખ રોકડ આપવામાં આવે છે.