- આ એપિસોડ વર્ષ 2022નો છેલ્લો એપિસોડ હતો જેમાં વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ અંગે સાવચેત રહેવા તેમજ વર્ષ 2025 સુધીમાં દેશને ટીબીથી મુક્ત કરવા અંગે વાત કરી હતી.
- આ સિવાય જી-20 સમૂહ બેઠકની અધ્યક્ષતા, અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ, યોગ અને આયુર્વેદ સહિતના મુદ્દાઓને આવરી લીધા હતા.
- ઉલ્લેખનીય છે કે 'મન કી બાત' એ એક રેડિયો કાર્યક્રમ છે જે 3 ઑક્ટોબર, 2014થી શરુ કરવામાં આવ્યો હતો.
- આ કાર્યક્રમને અસલ રીતે હિન્દીમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે જેને ત્યારબાદ આસામી, બંગાળી, બોડો, ડોગરી, ગુજરાતી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથીલી, મરાઠી, મણીપુરી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ સહિતની ભાષાઓમાં ભાષાંતરિત કરવામાં આવે છે.