- રાજ્યના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૧૦ થી ૨૦, જાન્યુઆરી – ૨૦૨૨ સુધી પંતગ દોરીથી ધાયલ થતા અબોલ પશુ – પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે જેના અંતર્ગત ઘવાયેલાં પક્ષીઓની સારવાર માટે દરેક જીલ્લામાં અને દરેક તાલુકાકક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે.
- ઉપરાંત ચાઇનીઝ માંજાનો ઉપયોગ થતો અટકાવવા માટે વન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુકત ટીમ બનાવી કોમ્બિંગ કરીને વેપારીઓને સમજ આપવામાં આવશે તેમજ તાલુકા મુજબ ઘાયલ પક્ષી કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
- અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર ઉપરાંત વનવિભાગ, બિનસરકારી સંસ્થાઓ અને સામાન્ય પ્રજાના સહયોગથી તહેવારના સમયે પતંગના દોરાથી ઘાયલ પશુઓ અને પક્ષીઓને ખાસ સારવાર માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવે છે.