- આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ રાષ્ટ્રપતિ ભવન સ્થિત ‘મુગલ ગાર્ડન’ નું નામ બદલીને હવે ‘અમૃત ઉદ્યાન’ કરવામાં આવ્યું.
- આ ફેરફાર પછી બગીચાની બહાર અમૃત ઉદ્યાન નામનું સાઈનબોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન)માં ટ્યૂલિપ્સની 12 જાતો છે.
- ‘ઉદ્યાન ઉત્સવ 2023’ હેઠળ રાષ્ટ્રપતિભવનનું અમૃત ઉદ્યાન 28 જાન્યુઆરી થી 31, માર્ચ સુધી જાહેર જનતાને પ્રવેશ માટે ખૂલ્લા મૂકાશે. જેમાં સોમવાર સિવાય દરરોજ સવારના 10 થી 4 ખુલ્લા રહેશે.
- જેમાં વિશેષ વર્ગના મુલાકાતીઓને તેમાં પ્રવેશ મળશે. જેમાંખેડૂતો, દિવ્યાંગો, સંરક્ષણદળોના જવાનો તથા અર્ધલશ્કરી દળોઅને પોલીસ જવાનો, આદિવાસી મહિલાઓ વગેરે માટે 1-1 દિવસ ખૂલ્લા રખાશે.
