- સંરક્ષણ મંત્રાલય દ્વારા ફાસ્ટ ટ્રેક મોડ દ્વારા ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ હેઠળ ત શીખ સૈનિકો માટે 12,730 બેલિસ્ટિક હેલ્મેટ ખરીદવામાં આવશે.
- ડિફેન્સ ફેકટરી દ્વારા ગયા વર્ષે શીખ સૈનિકો પહેરી શકે તેવા હેલ્મેટ ડિઝાઇન કર્યા હતા. જેના અનુસંધાને આ પગલું લેવામાં આવ્યું છે.
- સંરક્ષણ મંત્રાલય બે પ્રકારના હેલ્મેટ ખરીદશે, જેમાં 8,911 મોટા અને 3,819 XL હેલ્મેટ ખરીદવામાં આવશે.
- ભારતીય સેનામાં સૌથી વધુ શીખ સૈનિકો ફરજ બજાવે છે. આ હેલમેટની ખરીદી બાદ શીખ વિશ્વની પ્રથમ જાતિ બનશે, જેમની જરૂરિયાતોને અનુરૂપ હેલ્મેટ બનાવવામાં આવ્યા હોય.
- શીખ લોકો ધાર્મિક માન્યતા અનુસાર પોતાના માથાના વાળ કાપતા નથી જેથી તેઓ પાઘડી પહેરે છે જેમાં હેલ્મેટ પહેરવું મુશ્કેલ બને છે. નવું હેલ્મેટ શીખ સૈનિકના માથાના આકારને અનુરૂપ બનશે જે પાઘડી ઉપર પહેરવામાં સરળ બનશે.
- આ હેલ્મેટ 20 થી 45 ડિગ્રી તાપમાનમાં ઉપયોગમાં લઇ શકશે ઉપરાંત બુલેટ સામે પણ રક્ષણ આપશે.