- સંરક્ષણ મંત્રાલય અને આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન 23 અને 24 જાન્યુઆરી, 2023ના કરવામાં આવશે.
- આ કાર્યક્રમ પ્રજાસત્તક દિવસની ઉજવણી તેમજ નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જયંતી (જેને પરાક્રમ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.) ઉજવવા માટે સશસ્ત્ર બળો દ્વારા સંગીયમય પ્રસ્તુતી અને જનજાતીય નૃત્ય તહેવાર 'Aadi Shaurya - Parv Parakram Ka' નું આયોજન નવી દિલ્હીના જવાહરાલ નેરો સ્ટેડિયમમાં ખાતે થશે.
- આ કાર્યક્રમમાં મિલિટરી ટેટૂ - પેરામોટર ગ્લાઈડિંગ, હોટ એર બલૂન, હોર્સ શો, મોટર સાયકલ ડિસ્પ્લે, એર વોરિયર ડ્રીલ, નેવી બેન્ડ અને દેશભરના આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય પ્રદર્શનનો સમાવેશ થાય છે.
- ઉત્સવનો ઉદ્દેશ્ય નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સહિત અન્યની બહાદુરીની ઉજવણી કરવાનો અને ભારતના સમૃદ્ધ, વૈવિધ્યસભર અને અનન્ય સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવાનો છે.