- સાંસ્કૃતિક રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા આ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો.
- આ રાષ્ટ્રીય સ્તરના રંગ મહોત્સવમાં 100થી વધુ નાટ્ય કંપનીઓ ભાગ લેશે.
- રંગ મહોત્સવમાં નાટકોની રજૂઆત ઉપરાંત પુસ્તકોનું વિમોચન, દિગ્દર્શકની બેઠક, રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય પરિસંવાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.
- નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ઉપક્રમે યોજાઈ રહેલ રંગ મહોત્સવ દિલ્હી ઉપરાંત જયપુર, રાજમુદ્રી, રાંચી, ગુવહાટી, જમ્મુ, ભોપાલ, નાસિક અને કેવડિયામાં પણ યોજાશે.
- મહોત્સવનો સમાપન સમારંભ આગામી 26મી ફેબ્રુઆરીએ કેવડિયામાં યોજાશે.