- ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના વર્ષ 2023-26ના 4 વર્ષના સમયગાળા માટે ગુજરાતમાંથી ટ્રાએથલીટ પ્રજ્ઞા મોહનની પસંદગી કરવામાં આવી.
- તેણી 25 વ્યક્તિઓમાં નિયુક્ત થનાર એકમાત્ર ભારતીય બની.
- IOC દ્વારા આ 25 સભ્યોને સ્પોર્ટ્સના માધ્યમથી સમાજ માટે કઈક નવું કરવાની પ્રેરણા આપવામાં આવશે.
- આ લીડર્સ પ્રોગ્રામનો બીજો તબ્બકો છે અગાઉ 18 ખેલાડીઓને આ પ્રોગ્રામનો ભાગ બનાવવામાં આવ્યા હતા.
- આ પ્રોગ્રામ હેઠળ પ્રજ્ઞા મોહન દ્વારા આર્થિક નબળા પરિવારમાંથી આવતી વિધાર્થિનીઓને સાયકલ અને સાથે તેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
- તેણીએ બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ટ્રાયથલોનથી પદાર્પણ કર્યું હતું.
- તે વિશ્વમાં ભારતની અત્યાર સુધીની સર્વોચ્ચ ક્રમાંકિત ટ્રાયથલીટ છે.
- વર્ષ 2019માં, તે ટ્રાયથ્લોન વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ટ્રાયથ્લેટ બની હતી.