ભારતીય રેલ્વે દ્વારા 'ગરવી ગુજરાત ટુર ટ્રેન' શરૂ કરવામાં આવશે.

  • આ ટ્રેનમાં પેકેજ લઈને મુસાફરો ગુજરાત યાત્રા કરી શકશે.  
  • આ 'ગરવી ગુજરાત' યાત્રા ટ્રેનની મુસાફરી 28 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવશે.  
  • આ ટ્રેનમાં 4 ફર્સ્ટ એસી કોચ, 2 જનરલ એ.સી. કોચ રહેશે. આ ટ્રેન દિવસમાં લગભગ 8 કલાક મુસાફરી કરી લગભગ 3500 કિલોમીટરની સફર 8 દિવસમાં પૂર્ણ કરી ગુજરાતના હેરિટેજ સ્થળો અને યાત્રાધામોની મુલાકાત કરાવશે. 
  • ટ્રેનમાં એક સાથે 156 જેટલા પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.
  • આ ટ્રેનમાં એક લક્ઝુરિયસ પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટ,આધુનિક કિચન, બાથરૂમ અને સીસી ટીવી કેમેરાની સુવિધા હશે.   
  • ગરવી ગુજરાત ટ્રેન ટૂર અક્ષરધામ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, અમદાવાદ, સાબરમતી મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, યુનેસ્કો હેરિટેજ સાઈટ રાની કી વાવ, પાટણમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ જેવા સ્થળોની મુલાકાત કરાવશે.
  • આ ટ્રેનની મુસાફરી માટે IRCTC વેબસાઇટની મુલાકાત લઈને ગરવી ગુજરાત ટ્રેન ટૂર પેકેજ પસંદ કરી શકાશે અને મુસાફરી માટે હપ્તામાં ચૂકવણી કરવાની સુવિધાપણ આપવામાં આવશે.
  • આ ટ્રેન ટૂર પેકેજ સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત કેન્દ્રની યોજના 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની તર્જ પર તૈયાર કરવામાં આવ્યું છે.
Back Indian Railways Garvi Gujarat tour train to depart in Feb

Post a Comment

Previous Post Next Post