- મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આવતીકાલથી 5મા પોષણ પખવાડાની દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવણી શરૂ કરવામાં આવશે.
- જેનો ઉદ્દેશ્ય જન આંદોલન અને જન ભાગીદારી દ્વારા પોષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને સ્વસ્થ આહારની આદતોને પ્રોત્સાહન આપવાનો છે.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 8મી માર્ચ 2018ના દિવસે પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
- આ વર્ષની પોષણ પખવાડયાનો વિષય - "બધા માટે પોષણ: એક સ્વસ્થ ભારત" સાથે રાખવામા આવી છે.