- કેન્દ્ર સરકાર દ્વારા પંબા નદીના કિનારે આવેલ પથનમથિટ્ટા જિલ્લાના અયરુર ગામના નામને "આયરુર કથકલી ગ્રામમ" કરવાની મંજૂરી આપવામાં આવી. આ ગામનું પોસ્ટલ સરનામું કથકલી ગ્રામમ PO હશે.
- પંચાયત સમિતિ દ્વારા 2010 માં નામ બદલવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ પ્રક્રિયા પૂર્ણ કરવામાં 13 વર્ષનો સમય લાગ્યો હતો.
- આ ગામ તેની 200 વર્ષ જૂની કથકલી કલારી (નર્સરી), ખાસ કરીને દક્ષિણ કથકલી શાળા માટે જાણીતું છે.
- આ પ્રદેશમાંથી 20મી સદીના પૂર્વાર્ધમાં આયરૂર ચિરાકુઝિયિલ શંકરા પાણિકકર, નારાયણ પાનીક્કર, ચંગનાસેરી પરમેશ્વર પાનીક્કર, આયરૂર વિશ્વનાથન, શ્રમ્બીકલ નારાયણન નાયર અને પોથુપ્લાકલ નાનુ પિલ્લઈ જેવા પ્રખ્યાત કથકલી કલાકારો થઈ ગયા છે.
- આ ગામમાં વર્ષ 1995માં કથકલી ક્લબની રચના થઈ હતી ઉપરાંત ગ્રામવાસીઓ દ્વારા છેલ્લા 16 વર્ષથી જાન્યુઆરીમાં સાત દિવસીય કથકલી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.