- ત્રણ દિવસ માટેની આ પરિષદમાં ઈટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની મુખ્ય અતિથિ તરીકે જોડાશે.
- વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવ3l આ પરિષદ ભૌગોલિક, રાજકીય અને વ્યૂહરચના આધારિત છે જેમાં મંત્રીઓ, લશ્કરી કમાન્ડરો, ઉદ્યોગ જગતના અને ટેક્નોલૉજી ક્ષેત્રના અગ્રણીઓ, વ્યૂહાત્મક બાબતો, અગ્રણી વિચારકો અને યુવા નિષ્ણાતો સહિત 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે.
- રાયસીના ડાયલોગની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી જે ભારતમાં નવી દિલ્હીમાં દર વર્ષે યોજાતી ભૌગોલિક રાજનીતિ અને ભૂ-અર્થશાસ્ત્ર વિષય આધારિત બહુપક્ષીય પરિષદ છે.
- આ કોન્ફરન્સનું આયોજન ભારતના વિદેશ મંત્રાલયના સહયોગથી ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે, જે એક સ્વતંત્ર વૈચારિક સંસ્થા છે.
- રાયસીના સંવાદ નામ 'રાયસીના ટેકરી' પરથી લેવામાં આવ્યું છે જેના પર રાષ્ટ્રપતિ ભવન આવેલું છે.