- તમિલનાડુ સરકાર દ્વારા ઇરોડ જિલ્લાના અંતિયુર અને ગોબીચેટ્ટીપલયમ તાલુકાના જંગલ વિસ્તારોમાં 80,567 હેક્ટરમાં ફેલાયેલા "થંથાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય"ને રાજ્યના 18મા વન્યજીવ અભયારણ્ય તરીકે સૂચિત કરવામાં આવશે.
- આ અભયારણ્યમાં અંતિયુર, બારગુર, થટ્ટાકરાઈ અને ચેન્નમપટ્ટીના આરક્ષિત વન વિસ્તારોનો સમાવેશ કરવામાં આવશે.
- આ અભયારણ્ય કર્ણાટકમાં મલાઈ મહાદેશ્વરા વન્યજીવ અભયારણ્ય, બીઆરટી વન્યજીવ અભયારણ્ય, કાવેરી વન્યજીવ અભયારણ્યની નજીક છે અને એક કનેક્ટિંગ પોઈન્ટ તરીકે રહેશે.
- નવા અભયારણ્યમાં સસ્તન પ્રાણીઓની 21 પ્રજાતિઓ, પક્ષીઓની 136 પ્રજાતિઓ અને પતંગિયાઓની 118 પ્રજાતિઓનો સમાવેશ થશે.
- આ વિસ્તારોમાં આદિવાસી લોકોને તેમનું કામ કરવા માટે કોઈ પ્રતિબંધ મૂકવામાં આવશે નહિ.