આસામ અને અરૂણાચલ પ્રદેશ દ્વારા આસામ-અરુણાચલ પ્રદેશ સરહદ વિવાદ સમજૂતી કરાર કરવામાં આવ્યા.

  • આસામ અને અરુણાચલ પ્રદેશ સરકાર દ્વારા દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં આંતર-રાજ્ય સરહદ વિવાદના સમાધાન માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા  
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 1972થી આસામ-અરુણાચલ પ્રદેશનો લગભગ 800 કિલોમીટરનો સીમા વિવાદ ચાલી રહ્યો છે.
  • વર્ષ 2014થી જ કેન્દ્ર સરકાર દ્વારા બન્ને રાજ્યો વચ્ચે વિવિધ શાંતિ કરાર દ્વારા આ વિવાદનું સમાધાન લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો.
  • બન્ને રાજ્યો વચ્ચેનો વિવાદ વર્ષ 1989થી સુપ્રીમ કોર્ટમાં છે.
  • આ કરાર મુજબ બન્ને રાજ્યોની સરહદ પરના 123 ગામોમાંથી 71 ગામનો વિવાદનું શાંતિપૂર્ણ રીતે સમાધાન થઇ ચુક્યું છે.
  • આ કરાર બાદ અરુણાચલ પ્રદેશનું એક ગામ આસામમાં શામેલ થઇ જશે જ્યારે આસામના 60 ગામ અરુણાચલ પ્રદેશમાં શામેલ કરવામાં આવશે.
  • .
Assam and Arunachal sign agreement to resolve border disputes

Post a Comment

Previous Post Next Post